🔄

  • योगदृष्टिसमुचय: सटीक:- Yogadrishtisamuchchya Sateek (2010)
  • योगदृष्टिसमुचय: सटीक:- Yogadrishtisamuchchya Sateek (2010)
  • योगदृष्टिसमुचय: सटीक:- Yogadrishtisamuchchya Sateek (2010)
  • योगदृष्टिसमुचय: सटीक:- Yogadrishtisamuchchya Sateek (2010)
  • योगदृष्टिसमुचय: सटीक:- Yogadrishtisamuchchya Sateek (2010)

योगदृष्टिसमुचय: सटीक:- Yogadrishtisamuchchya Sateek (2010)

Publisher: Shrijaingranth Prakashn Smiti
Language: Gujarati
Total Pages: 110
Available in: Paperback
Regular price Rs. 450.00
Unit price per
Tax included.

Description

ભૂમિકા

આત્મસાધક સંત મુનિરાજ શ્રીઅમરેન્દ્રવિજયજીને એક પત્રમાં મેં વિજ્ઞપ્તિ કરેલી કે 'યોગદૃષ્ટિ' વિષે આપ કાંઈક પ્રકાશ પાથરો; આપ યોગસાધક-યોગી છો, અને વિષય પર કલમ ચલાવવાને અધિકારી છો; આપ લખશો તો અમારા જેવા બાળ જીવોની જિજ્ઞાસા સંતોષાય. માગણીના જવાબમાં મહારાજશ્રીએ લખેલું : 'હું વિષય પર લખવા માટેનો અધિકાર હજી પામ્યો नथी."

જવાબ ઉપરથી એટલું તો સમજી શકાય છે કે વિષય કેટલો ગહન અને ગંભીર છે ! સંસ્કૃત વાંચતા આવડી જાય કે આવા ગ્રંથોનું અધ્યયન-વાંચન કરી લેવાય તેટલા માત્રથી આના પર વિવેચનો-પ્રવચનો કરવા માંડીએ તો તે અનધિકાર ચેષ્ટા બની રહે.

મને પણ સાંભરે છે કે ધ્યાનવિષયક કોઈ વિવેચન-ગ્રંથ વિષે મેં તેઓશ્રીને જણાવેલ અને તે પુસ્તક તેઓશ્રીને મોકલવા લખેલું ત્યારે તેમણે મને સ્પષ્ટ લખ્યું હતું કે "અનુભવજ્ઞાન વિનાના કોરા શાબ્દિક વિવેચનમાં મને રસ નહિ પડે; માટે તે ગ્રંથ મોકલવો નહિ.

યોગ, યોગની દૃષ્ટિઓ, યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ - બધા વિષયો કેટલા બધા રહસ્યમય અને અર્થગંભીર ગણાય, તેનો ખ્યાલ મને જવાબો થકી સુપેરે આવેલો છે, એટલે બધા વિષયો પરત્વે કશુંક લખવાની, અહીં, લેશ પણ તૈયારી કે ઉત્સુકતા નથી.

હું એટલું ચોક્કસ લખી શકું કે ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે ગ્રંથ અને તેમાં યોગની આઠ દૃષ્ટિરૂપ ભૂમિકાઓ આપીને આપણા ઉપર મહાન કરુણા કરી છે. વિવેકી, જિજ્ઞાસુ તથા આત્માર્થી વ્યક્તિ, ગ્રંથના અધ્યયન-પરિશીલન દ્વારા, પોતાની આંતરિક ભૂમિકા કે કક્ષાને અવશ્ય પ્રીછી શકે, અને રીતે પોતાની પ્રગતિનો માર્ગ અથવા ક્રમ અવશ્ય નક્કી કરી શકે.

ભગવાન હરિભદ્રાચાર્યની સમદૃષ્ટિ અને સમન્વયદૃષ્ટિનો સુરેખ પરિચય ગ્રંથ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. નાનો-વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીવિજયનન્દનસૂરીશ્વરજીના મુખે અનેકવાર ગ્રંથના શ્લોકો અને તેમાંથી પ્રગટતો સમન્વય સાંભળવા મળતા. સાંખ્ય, વેદાન્ત, પાતંજલ, બૌદ્ધ વગેરે દર્શનોના તત્ત્વજ્ઞાન સાથે ગ્રંથમાં વર્ણવ્યા અનુસાર,